શ્રી
ઇ-ઇન્વોઇસ માટે નિયમ 48 (4) હેઠળ મુખ્ય નોટિફિકેશન નંબર 13/2020 તારીખ 21 માર્ચ 2020 ના રોજ જારી કરવામાં આવેલું છે, જેને નોટિફિકેશન નંબર 23/2021 ત્થા નોટિફિકેશન નંબર 01/2022 થી સુધારો કરવામાં આવ્યો છે અને તે તારીખ 1 એપ્રિલ 2022 ના રોજથી અમલમાં આવે છે. જે રજિસ્ટર વ્યક્તિનું એકંદર ટર્નઓવર 20 કરોડ રૂપિયાથી વધુ છે તેમણે ઇ-ઇન્વોઇસ ઇશ્યુ કરવું ફરજિયાત છે.
નીચે આપેલા રજિસ્ટર વ્યક્તિને ઇ-ઇન્વોઇસ ઇશ્યુ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે :-
(i) સરકારી વિભાગ
(ii) સ્થાનિક સત્તા મંડળ
(iii) ઇન્સ્યોરન્સ કંપની
(iv) બેંક
(v) નાણાકીય સંસ્થા (NBFC સહિત)
(vi) માલ પરિવહન એજન્સી (GTA)
(vii) પેસેન્જર પરિવહનની સેવા
(viii) સિનેમા હોલ (મલ્ટિપ્લેક્સ)
ઇ-ઇન્વોઇસ ઇસ્યુ કરવા માટેની સામાન્ય માહિતી
સૌપ્રથમ નીચે આપેલી વેબસાઈટ પર જાવ
ત્યાં Registration’ પર ‘e-Invoice Enablement’ પર ક્લિક કરો
ત્યાં આપેલા બોક્સમાં GSTIN number દાખલ કરો અને આપેલા ‘CAPTCHA’ ટાઈપ કરો.
ઇ-ઇન્વોઇસ જનરેટ કરવા માટે ‘LOGIN’ પર જાવ અને વિગતો ભરો.
જ્યારે પણ ઇ-ઇન્વોઇસ જનરેટ કરો તો ખૂબ જ કાળજી રાખવી કારણ કે હાલમાં જનરેટ થયા પછી તેમાં સુધારો થઈ શકતા નથી અને તેને કેન્સલ (રદ્દ) પણ કરી શકાતું નથી.
આભાર